વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પોલિએના July 31, 2010

Filed under: પુસ્તક પરિચય — mysarjan @ 1:32 pm


પોલિએના –  એક પરિચય. “

આશા અને આનંદ  જગાડતી જીવન દ્રષ્ટિ ;

અમેરિકન  વાર્તાકાર શ્રીમતી એલીનોર  પોર્ટર અનુવાદ કરવા માટે શ્રીમતી રશ્મીબહેન ત્રીવેદીને ધન્યવાદ  આપવા જોઇએ. આ નવલકથા વાસ્તવિક જીવનની મૂઝવણો,સંઘર્ષો ,અને સમસ્યાઓ કેવી મનોવૃતિ માંથી જન્મેછે તેનું રસભર્યું ચિત્રણ કરે છે, એટલું જ નહીંપણ આનંદ ભર્યાં જીવન માર્ગ શો છે તેનું માર્મિક આલેખન કરે છે.

મુખ્ય પાત્ર—-મિસ પોલી હેરિંગ્ટન, ભાણેજ પોલીએના ,મિસ પોલી ની બહેન જેની

મિસ પોલી  ને મન ,ધન, સત્ત્તાનું  મહત્વ વધારે હતું અને એની નીચે પ્રેમ ઝરણું દબાઈ જતું હતું .તેનો તેને ખ્યાલ જ ન હતો! જેની ને મન પ્રેમજ જીવન નું સર્વસ્વ ધન હતું અને   સ્સ્સ્મમ્તાઈતેને માન તુ છછ લાગતી હતી. તે ગરી બ પાદરી ને પરણી ,  એ પોલી ને ના ગમ્યું ને તેના પ્રત્યે ઘ્રુણા થઈ .જે   શ્શ્રીમંત  સાથે પોલી ને પ્રેમ થયો તેની સાથે તેના અહમ અને અન્ય વિલક્ષણતાઓને કારણે  મેળ ના ખાધો. વ્બન્ને નો  જીવન રસ ઊડી ગયો. શ્રીમંતાઈ પણ પેન્ડલટ્ન (શ્રીમંતને) નિરર્થક લાગી, જેની મરી ગઈ .પાદરી ગુજરી ગયૉ.તેથી તેમની  નિર્દોષ ,સંસ્કાર્પુત દ્રષ્ટિવાળી પુત્રી પોલીએના ૧૧ વરસ ની હતી તેનો માસીને ત્યાં  પ્રેમ ભર્યો ઉછેર થશે અએમ માની ને તેને ત્યાં મોકલવાનું ઠર્યું. પણ નિરાશા પુર્ણ  , હતજીવન  બનેલી પોલી ને ભાણેજ  પોલિએના ને રાખવાનું ગમતું ન હતું.પણ ફરજ (લોક લાજ -જન્ય) માની ને ઊછેરવાનું નક્કી કર્યું. પોલિએના આવવાની હતી.

નિર્દોષ પ્રેમ થી ઊભરાતી અને પિતા નો જિવન સંસ્કાર નો ઉત્તમ વારસો લઈને આવેલી પોલિએનાએ સ્મશાન જેવા માસીના ઘરને લિલાછમ પુષ્પ  લચીત બગીચા જેવો કેમ બનાવ્યો,તેવું  પરિવર્તન કેમ થયું તેમાં વાર્તા નોજ નહીં, જિવનનો સનાતન  મર્મ વ્યક્ત થયો છે. સમાજ  ના હ્ડ્દૂત ગણાતા કે હતાશાને લીધે જિવન રસ ગુમાવી બેઠેલાઓના મનમાં જે આશા ,પ્રસન્નતા અને જિવનનો ઉલ્લાસ જન્માવ્યો  તેમાં જ આ નવલ્કથા નું સોદર્ય દર્શન વ્યકત થાય છે.

એના પિતાએ આપેલો બોધપાઠ પોલીએના એ આત્મસાત કર્યો હતો..તેનાં જ શબ્દો માં જ જોઈએ…”

દરેક વસ્તુ-  પછી તે ભલે ગમે તેવી હોય -તેમાં થી સારું શોધી રાજી થવું એજ તો રમત છે.”

આ રમતે   કેટ્લાના  રુદય ને પ્રફુલ્લિત  બનાવ્યાં ! આ સંજિવની એ જીવન અમૃત અર્પ્યું…પછી પોલીએના એ મોટર અકસ્માત થી પગ ગુમાવ્યાં  અને તેનામાં નિરાશા વ્યાપી ગઈ ત્યારે

તેનીપાસે થી મેળવેલા જીવન અમૄત વાળા સ્ત્રી ,પુરુષોએ તેનાં જીવનમાં જીવનઅમૃત રેડ્યું  અને એ ચાલતી થઈ શકી..

અગિયાર વરસની   અનાથ ભણેજ જ્યારે પોલિના ઘરમાં પોતાનાપિતાનો ઉલ્લેખ કરે છે કે તરત પોલી  ચિડાઈ જાય છે.તેનું નામ બોલવાની મનાઈ કરે છે.પરંતુ ઇતાએ શીખવેલી રમત માં ક્રોધ ,નિરાશા કે

દુઃખ ટ્કી શકતા ન હોતાં . પોલી એ ક્યારે ઉઠવું, શું કામ કરવું ,શું શું શીખવું , ક્યારે જમવું  એવું સમય પત્રક  ભાણેજ માટે ઘડી   રાખ્યું હતું .ત્યારે પોલિએના એ કહ્યું ” માસી , તમે આ બધામાં મારા માટે

જીવવાનો સમય તો રાખ્યો જ નહીં ? ” ” અલબત્ત , આ બધું  કામ કરતાં હું શ્વાસ તો લેતી જ  હોઇશ. પણ હું જિવનનો આનંદ તો નહીં જ માણતી હોઉં …”

શુષ્ક રીતે ભિખારી અવસ્થા માં હરતો ફરતો જીમ બીન જેવો છોકરો પોલિએના એ જોયો, તેને પણ રાજી રહેવાની રમતથી કેવી  રીતે આનંદનો પ્રવેશ કરાવ્યો ત્તે વાત પણ વણી લીધી છે. નિષ્પ્રાણ જીવતા પેન્ડ્લ્ટ્નનું પ્રસંગ ચિત્રણ રુદ્ય સ્પર્શી છે.પોલિએના હ્ળવે  હ્ળવે  હતાશ થએલી  માસી ને કેવી રીતે આનંદ માં લાવી શકે છે. કે પોલી હવે તેને” ડિયર ” કહી ને  જ બોલાવે છે.

ડૉ. શિલ્ટન  જોડે નો પોલીનો ભગ્ન  પ્રેમ સબંધને  કેવી કુશળતાથી પ્રેમ્ના સેતુથી જોડી દેય છે… ત્યારે માસી કહે છે ,” પોલિએના, ડિયર , હું તને જ  સૌ થી પ્રથમ આ સમાચાર આપવા  આવી છું .એક દિવસ હું તારી આગળ ડૉ. શિલ્ટન ને  માસા  તરીખે લાવવાની છું. … આ બધું તારા લીધે જ થયું છે…હું કેટલી બધી સુખી થઈ છું ….ડાર્લિગ  …!”

હું  ખાસ  ઇછુઃ છું કે નિશાળ માં ભણતાં   વિદ્યાર્થી અને  વિધ્યારર્થીનીઓ તેમજ  શિક્ષકો અને મા – બાપો  આ નવલકથા  વાંચે  ..આ વાર્તા રસમાં થી સંજીવની શક્તિ નો સ્પર્શ થાય છે.તેનું મારે મન અવર્ણ્ય મહત્વ છે. આપણે ત્યાં આશા – આનંદ પ્રગટશે…

અમૃતલાલ  યાજ્ઞિક..

૩૧મીમાર્ચ,૧૯૮૪.

૧૧,મધુવન સોસાયટી,.

સરસ્વતી રોડ, સન્તાક્રુઝ. મુંબઈ..૪૦૦૦૫૪

“   રાજી રહેવાની અનોખી રમત,       વેરાતાં  સ્વપ્નનું ઘુંટાતું રહસ્ય “

આ પુસ્તક્માં એક નાનકડી છોકરી પોલિએના નો રુદય સ્પર્શી પરિ્ચય થયો.જે કઈ બને એમાં રાજી રહેવાની ,કોઇપણ  અણગમતી ઘટના થી પણ કોઇક ગમતા અર્થ તારવવાની  અને કોઇપણ અંધકાર માં થી પ્રકાશ નું કિરણ શોધવાની  એક ખેલદિલ રમત આ છોકરી રમતી હતી અને સૌ ને શીખવતી હતી .પોલિએના ની  ગ્લેડ ગેમ (રાજી રહેવાની રમત)રમવા  જેવી  છે,”ઢીંગલી   જોઈતી  હતી ને  મળી લાકડા ની ઘોડી ……….” મારે બે પગ છે ,કાખ ઘોડીનો ખપ નથી, એ કેટલું સારું છે..!!”એવા વિચાર થી આરંભાયેલી આ રમત જીવનના દરેક તબક્કે  રમી શકાય છે. માત્ર એ માટે થોડાં ડૂસકા જીરવી હોઠ પર થોડું હાસ્ય લાવવાની ત્યૈયારી જોઇએ….થોડાં આંસૂ સુકવીને  ચમકદાર સ્વસ્થતા આંજવાની જિગરદારી હોવી  જોઇએ..ગમે તેવાં કપરાં સંજોગોમાં ,ગમેતેવી વસમી પરિસ્થિતી માં રાજી રહેવાની તત્પરતા હોવી જોઇએ.. આવા ધાંધલિયા જીવન માં જ્યાં એક્બીજા ને  મદદ રૂપ થવાની કાળજી પણ લેવાતી નથી ત્યારે આ પુસ્તક રણ માં મીઠી વીરડી જેવું કહી શકાય..  જીવન પ્રત્યે ના અભિગમ ની વાત તરીકે આ સ્થાને કાયમ માટે રુદય માં રાખવાનું મન થાય..

૨૬-૪-૮૪                                                                                                                                                        હરીન્દ્ર દવે.

વગડાઉ ફુલ જેવી એક નાનકડી નિર્દો બાલિકા એના ઉદાત્ત મન અને મધુર સ્વભાવ ને કારણે જ્યાં જ્યાં પગ મુકે છે ત્યા અજવાળું પથરાઇ જાય છે. વર્ષો જુની પૂર્વ ગ્રહ ની  ગ્રંથી ઓ  પણ આ પોલેના ના કોમળ સ્પર્શે ઉકલી જાય છે  અને પ્રણય નો  દીપ   ફરી એક્વાર ઝગમગી  ઉઠે છે.

એલીનોર   પોર્ટર નીઆ અત્યંત લોકપ્રિય  નીવડેલી નવલકથા નો રશ્મીબહેન ત્રિવેદી એ કરેલો રસાળ અને ભવવાહી  અનુવાદ ગુજરાતી   વાંચકોને એક આનંદ દાયક અનુભવ કરાવશે..

ધીરુ બેન પટેલ.

 

 
Follow

Get every new post delivered to your Inbox.