વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સાત પગલાં December 11, 2011

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 5:39 pm

૧)જન્મ -ભગવાન  ની ભેટ છે.

૨)બચપન-મમતાનો દરિયો છે.,પ્રેમ થી ભરીયો છે,જે ડૂબી શકીયો છે તે તરીયો છે.

૩)તરુણ અવસ્થા-વિચારો,આશાઓ મેળવવાની આશ છે.

૪)યુવાઅવસ્થા-સાહસ, જોશ,ઝનુન છે.

૫)પૌઢાવસ્થા-કુટુંમ્બ માતે કુરબાન થવાની  જીજીવિષા છે.

૬)ઘડપણ-જેવું  વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.

૭)મરણ- જિંદગીની કિતાબ ખુલશે,નાડીએ નાડીએ કર્મ તુટ્શે,પાપ પુણ્ય નો મર્મ  ખુલશે,

કર્મ ધર્મ નો હીસાબ  થશે,સ્વર્ગ -નર્ક ના  માર્ગ થશે.

  આમ સાત પગલાં પુરાં થશે..

 

જુવાની પણ રૂધાંય છે December 11, 2011

Filed under: કાવ્ય — mysarjan @ 5:16 pm

 

જુવાની પણ રૂધાંય છે

સુરજ ને ક્યાંથી ખબર કે આ અંધારુ શુ છે?,
પાણી ને કયાંથી ખબર કે આ મ્રુગજળ શુ છે?,
એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે,
પાનખર મા આવી ને તો, ફુલો પણ કર્માય છે.

વર્ષો ના વર્ષો, આમ જ વહી જાય છે,
જુવાની ની વાટ મા, બાળપણ પણ વેડફાય છે,
નથી રોકી શકતુ કોઈ સમય ના વહેણ ને,
અરે ઘડપણ મા આવી ને તો, જુવાની પણ રૂધાંય છે.

 

December 11, 2011

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન  માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

—————————————————————————————————

વૃદ્ધાશ્રમ ને આધુનિક યુગ ની શોધ કહેવી કે સંસ્કૃતિની શરમ નું સ્મારક…..

 

જઈ  અનાથાશ્રમ, પરત ફરતાં જજો વૃદ્ધાશ્રમે
એ પછી મા-બાપનો  ઠપકો ય વહાલો લાગશે !

 

 
Follow

Get every new post delivered to your Inbox.